Antyeshti Sahay Yojana 2023 : ગુજરાતમાં રહેતા શ્રમિક લોકો જેવા કે કડિયા, લુહાર, વાયરમેન તથા જેમનું નામ મનરેગા વર્કર્સ માં આવે છે તેવા લોકો માટે અંત્યેષ્ઠિ સહાય યોજના બહાર પાડેલ છે જો નોધાયેલ શ્ર્મયોગી કામ કરતા સમયે કોઈ વર્કર્સ સંજોગો વસાહત મૃત્યુ પામે છે તો સરકાર દ્વારા તેની અંતિમ ક્રિયા પૂરી પાડવા માટે સહાય આપવામાં આવે છે. બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોને ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગ કલ્યાણ બોર્ડ દ્વારા ₹10,000 રૂપિયા સહાય પેટે કામ દરમિયાન મૃત્યુના કિસ્સામાં આપવામાં આવે છે.
આ પણ વાંચો : Tar Fencing Yojana 2023 : હવે ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના, ઓનલાઈન કરો અરજી
Antyeshti Sahay Yojana Gujarat | અંત્યેષ્ઠિ સહાય યોજના
યોજનાનુ નામ | અંત્યેષ્ઠિ સહાય યોજના (Antyeshti Sahay Yojana Gujarat) |
વિભાગ | મકાન અને બાંધકામ શ્રમયોગ કલ્યાણ બોર્ડ, ગુજરાત |
લાભાર્થી | બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા શ્ર્મિકો |
સહાય | રૂં.10,000 |
હેલ્પલાઈન નંબર | 079-25502271 |
ઓફિસિયલ વેબસાઈટ | https://bocwwb.gujarat.gov.in |
આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ અને નોંધાયેલ લાભાર્થી શ્રમયોગીનું ચાલુ મેમ્બરશીપ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ પામનારના ઉત્તરાધિકારીને અંત્યેષ્ઠિ સહાય યોજના હેઠળ રૂ.૧૦,૦૦૦/- નાંણાકિય સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવેલ છે. આ યોજના નો લાભ 18 થી 60 વર્ષ સુધીના શ્રમિકો મેળવી શકે છે. જે નિચે મુજબ છે.
- કડિયા
- પ્લમ્બર
- ઇલેક્ટ્રીસિયન
- સુથાર
- લુહાર
- વાયરમેન
- કલરકામ કરનાર
- લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર
- ફેબ્રીકેશન કરનાર
- ઇંટો/નળિયા બનાવનાર
- વેલ્ડર
- સ્ટોન કટિંગ/ક્રશિંગ કરનાર
- મનરેગા વર્કસ
આ પણ વાંચો : Urban Green Mission : બેરોજગારો ને મળશે નોકરી : ગુજરાત સરકારે જાહેર કરી એક નવી યોજના
અરજી માટે ડોક્યુમેન્ટ
- અરજી પત્રક(નમૂનામાં)
- મરણ અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ
- વારસદાર
- આવકનો દાખલો
- પાસપોટ સાઈઝ ના ત્રણ ફોટોગ્રાફ્સ
- બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ
- આધાર કાર્ડ
બાંધકામ શ્રમયોગી યોજના અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઉપર રહેલા તમામ ડોક્યુમેન્ટ સાથે મૃત્યુ પામ્યા ના ત્રણ માસની અંદર નીચે આપેલી વેબસાઈટમાં જઈ અને તમે અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ નિચે આપેલ લિંકથી ડાઉનલોડ કરી શ્ર્મિકના પરિવારે તે અરજી જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્ર્મયોગી કલ્યાણ બોર્ડને જમા કરાવાની રહેશે.
મહત્વની લિંક
બાંધકામ શ્રમયોગી યોજના અરજી ફોર્મ PDF | ડાઉનલોડ કરો |
સત્તાવાર સાઈટ | અહીં ક્લિક કરો |
હેલ્પ લાઈન નંબર | 079-25502271 |
હોમેપેજ | અહીં ક્લિક કરો |